You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Live, દિલ્હી જંતર-મંતર: યુવાનોના આંદોલન વચ્ચે પીએમ મોદીએ કરી આ જાહેરાત, સીજેપી અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.

સારાંશ

  • પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.
  • 26 દિવસ બાદ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા.
  • સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી.
  • કૉક્રોચ જનતાપાર્ટીએ જણાવ્યું કે સરકાર સાથે વાતચીત માટે ન્યૂટ્રલ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. આ માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયાની જગ્યા પસંદ કરવામાં આવી છે.
  • પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી.
  • રાહુલ ગાંધીએ 'ગાંધી સ્મૃતિ' પહોંચીને કહ્યું, 'સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે'.
  • ગુરુવારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે જલદી ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવામાં આવશે.
  • દિલ્હીનાં મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા.

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. ‘વિદ્યાર્થીઓએ મોદી સરકારની પોલ ખોલી નાખી’, સોનિયા ગાંધીએ જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન પર શું કહ્યું?

    કૉંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે આરોપ લગાવતા કહ્યું કે સ્ટૂડન્ટ્સે જવાબદેહી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારની માગ કરી છે, પરંતુ મોદી સરકારે તેમના સાહસનો જવાબ ‘કાયરતા અને બર્બરતા’થી આપ્યો છે.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે તેમણે કહ્યું, “સરકારે વિદ્યાર્થીઓને દેશના ભવિષ્યના નિર્માણ કરનારા નાગરિકોની જગ્યાએ રાષ્ટ્રના દુશ્મન સમજીને તેમની સાથે વ્યવહાર કર્યો છે.”

    તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે ભારતની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી છે. તેમનું કહેવું હતું કે દેશના વિદ્યાર્થીઓએ મોદી સરકારના 'દાવા અને દંભ'ને ખુલ્લા પાડી દીધા છે.

    સોનિયા ગાંધીએ કહ્યું કે "વિદ્યાર્થીઓ સાથે ઊભું રહેવું અને તેમનાં ભવિષ્યની સુરક્ષા કરવી એ અમારી નૈતિક, રાજનીતિક અને સંવૈધાનિક જવાબદારી છે."

    નીટ- યુજી પરીક્ષાના પેપર લીક થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેટલીક માગો સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.

    જોકે, આ માગોના સમર્થનમાં ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 26 દિવસો બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે.

  2. યુવાનોના આંદોલન વચ્ચે પીએમ મોદીએ કરી આ જાહેરાત, સીજેપી અને રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે સરકારે ફાસ્ટ ટ્રૅક કોર્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લઈ ચૂકી છે.

    પીએમ મોદીએ કહ્યું, “આ સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે સંબંધિત વિભાગ આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરે. વિદ્યાર્થીઓનું હિતને સુરક્ષિત કરવા માટે સરકાર તરફથી લેવાઈ રહેલા નિર્ણયોની કડીમાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારી કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.”

    પીએમ મોદીનું આ નિવેદન પેપર લીક સહિત વિભિન્ન પરીક્ષામાં અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓનાં ચાલી રહેલાં પ્રદર્શન વચ્ચે આવ્યું છે.

    પીએમ મોદીએ ગુરુવારે મોડી રાત્રે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.

    પીએમ મોદીએ કહ્યું, “પેપર લીક એ સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અ તેમનાં માતા-પિતા માટે પીડાદાયક છે. તેથી આ ઘટના બાદ સરકારે ઘણાં પગલાં ઉઠાવ્યાં છે. ગુનેગારોને પકડ્યા છે અને તેઓ આજે જેલમાં છે.”

    પીએમ મોદીએ એમ પણ કહ્યું કે પેપર લીક બાદ વિદ્યાર્થીઓનું વરસ ન બગડે તેનુ પણ સરકારે ધ્યાન રાખ્યું.

    બીજી તરફ નરેન્દ્ર મોદીના આ વીડિયોને રિપોસ્ટ કરીને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેમના પર વિદ્યાર્થીઓનું અપમાન ગણાવ્યું.

    રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, “શ્રી મોદીજી, અમારા વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. અડધી રાત્રે પોસ્ટ કરેલા આ બેકાર વીડિયો મારફતે તેમની સમજદારીનું અપમાન ન કરો.” તેમણે ત્રણ માગ પણ રાખી.

    1. ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી ખસેડો.

    2. વિદ્યાર્થીઓને મારનારાને સજા આપો.

    3. માફી માગો.

    કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે.

    સૌરવ દાસે કહ્યું છે, “કોઈ ન્યૂટ્રલ જગ્યા પર અમારી વાતચીતની માગ સરકારે માની લીધી છે. અમને ખુશી છે. વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. અમને ખુશી છે કે સરકાર મોટા મન સાથે અમારી સામે આવી છે અને તે રસ્તા પર ઉતરેલા લોકોની વાત સાંભળવા તૈયાર છે.”

  3. કૉક્રોચ જનતા પાર્ટીએ જણાવ્યું કે આ જગ્યાએ થશે સરકાર સાથે વાતચીત

    કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે.

    સૌરવ દાસે કહ્યું છે, “કોઈ ન્યૂટ્રલ જગ્યા પર અમારી વાતચીતની માગ સરકારે માની લીધી છે. અમને ખુશી છે. વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. અમને ખુશી છે કે સરકાર મોટા મન સાથે અમારી સામે આવી છે અને તે રસ્તા પર ઉતરેલા લોકોની વાત સાંભળવા તૈયાર છે.”

    સૌરવ દાસે કહ્યું, “ તેઓ જંતર-મંતર પણ આવી શકતા હતા. પરંતુ અમે તેમની સામે વિકલ્પ રાખ્યો છે. અમે સમજી શકીએ છીએ કે જંતર-મંતર પર આવવામાં તેમને ખચકાટ અનુભવાતો હશે. અમે સમજદાર અને ભણેલા-ગણેલા લોકો છીએ. તેથી અમે તેમની સામે ન્યૂટ્રલ જગ્યાનો વિકલ્પ રાખ્યો.”

    નીટ- યુજી પરીક્ષાના પેપર લીક થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેટલીક માગો સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.

    જોકે, આ માગોના સમર્થનમાં ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 26 દિવસો બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે.

  4. અડધી રાત્રે સોનમ વાંગચુકના ઉપવાસ તોડવા મામલે સીજેપી સંસ્થાપક અભિજિત દીપકેએ શું કહ્યું?

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુવારે અડધી રાત્રે 26 દિવસો બાદ પોતાના ઉપવાસ તોડ્યા છે.

    ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ એક વીડિયો સંદેશ જાહેર કરીને તેના પર ખુશી વ્યક્ત કરી છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને કહ્યું, “અમને રાહત છે અને ખુશી પણ. સોનમ સરે 26 દિવસ બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે. સર, તમારા અસાધારણ સાહસ અને ત્યાગ માટે આપનો આભાર. તમે તમારા જીવને જોખમમાં મૂકીને આખા દેશના અંતરાત્માને ઢંઢોળ્યો. તમારું જીવન આ દેશ માટે અનમોલ છે.”

    “કૉક્રોચ જનતા પાર્ટી જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રાખશે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે.”

    નીટ-યુજી પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા છે.

    પ્રદર્શનકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુ રાજીનામું માગી રહ્યા છે. આ માગના સમર્થનમાં સોનમ વાંગચુક છેલ્લા 26 દિવસોથી ઉપવાસ પર બેઠા હતા.

  5. સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં તોડ્યો ઉપવાસ, લોકોને કરી આ અપીલ

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 26 દિવસ બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહની સાથે-સાથે લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

    સોનમ વાંગચુકે લખ્યું, “આ પહેલાં, અલગ-અલગ રાજનીતિક દળોના 65 સાંસદોએ પત્ર લખીને મને ઉપવાસ તોડવાનો આગ્રહ કર્યો હતો.”

    તેમણે જણાવ્યું કે આ નિર્ણય ઘણી શરતો પર લાંબી વાતચીત અને દેશમાં સંભવિત હિંસાની આશંકાને લઈને લેવામાં આવ્યો છે.

    વાંગચુકે લખ્યું, “હું બહુ જલદી એક અલગ વીડિયોમાં આ શરતો મામલે વિસ્તારથી જણાવીશ. આ વચ્ચે, હું આગ્રહ કરું છું કે તમે ક્યાંય કોઈ પણ પ્રકારની હિંસા ન થવા દો અને તેને લઈને સતર્ક રહો.”

    નીટ-યુજી પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા છે.

    પ્રદર્શનકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુ રાજીનામું માગી રહ્યા છે. આ માગના સમર્થનમાં સોનમ વાંગચુક છેલ્લા 26 દિવસોથી ઉપવાસ પર બેઠા હતા.

    બીજી તરફ મોડી રાત્રે પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન